સંસદમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના રાહુલગાંધી પર પ્રહાર
Live TV
-
રાહુલ ગાંધીના મણિપુર વિશેના નિવેદન પર સ્મૃતિ ઈરાનીનો વળતો પ્રહાર
લોકસભાની કાર્યવાહી દરમિયાન રાહુલગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ વળતો જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ રાહુલગાંધીના મણિપુર અંગેના નિવેદન બાદ જવાબ આપતા કહ્યું કે, મણિપુર ભારતનો અભિન્ન અંગ છે. કયારેય ખંડિત ન હતું, નથી કે ન ભવિષ્યમાં થશે. સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું હતું કે, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વારંવાર કહ્યું કે સરકાર મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તેનાથી ભાગી ગયો, અમે નહીં
