ચંદ્રયાન-3 સફળતા તરફ એક ડગલું વધું આગળ વધ્યું
Live TV
-
ચંદ્રયાનની ભ્રમણકક્ષા ફરી ઘટાડવામાં આવી, 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો
ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ કરશે.
જણાવી દઈએ કે,22 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ સાંજે 7.15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં તેને કેદ કરી શકાય તે માટે યાનની ગતિ ઘટાડવામાં આવી હતી. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું. આ ફાયરિંગ સાંજે 7.12 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું.
