સૈન્ય કમાન્ડરોનું પ્રથમ સંમેલન આજથી શરૂ થશે
Live TV
-
આ વર્ષે સૈન્ય કમાન્ડરોનું પ્રથમ સંમેલન આજથી શરૂ થશે. 21 એપ્રિલ સુધી ચાલનારા આ સંમેલનમાં પ્રથમ દિવસે સૈન્ય કમાન્ડરો અને અન્ય વરિષ્ઠ અધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરશે, ત્યારબાદ સંમેલનમાં સામેલ થનાર તમામ અધિકારી દિલ્હી જશે, અને મહત્વપૂર્ણ મુદ્દા પર વિસ્તારપૂર્ણ ચર્ચા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 19મી એપ્રિલે સંમેલનને સંબોધિત કરશે. સૈન્ય કમાન્ડોની કોન્ફરન્સ વર્ષમાં બે વખત મળે છે, જે સેનાની સાથે જોડાયેલી નીતિઓ અને વિષયો પર વિચાર કરી નિર્ણય લેવાનો મહત્વપૂર્ણ મંચ છે. સંમેલનમાં “2023 પરિવર્તનનું વર્ષ” અંતર્ગત નક્કી કરવામાં આવેલા કામકાજની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે, અને યાંત્રિકીકરણની પણ સમીક્ષા કરવામાં આવશે.
