વારાણસીમાં જી-20 ના કૃષિ વિભાગના કાર્યકારી જૂથની 100 મી બેઠકનો આજથી આરંભ
Live TV
-
ઉત્તરપ્રદેશના વારાણસીમાં જી-20 ના કૃષિ વિભાગના કાર્યકારી જૂથની 100 મી બેઠકનો આજથી આરંભ થશે. આજના ઉદઘાટન સત્રમાં કેન્દ્રિય ઉડ્ડયન રાજ્યમંત્રી નિવૃત્ત જનરલ વી.કે. સિંહ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં અન્ન સલામતી અને પોષણ, ડિજીટલ કૃષિ, જાહેર અને ખાનગી ભાગીદારી જેવા વિવિધ વિષય ઉપર ચર્ચા વિચારણા કરાશે. કેન્દ્રિય કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ અને કેન્દ્રિય ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં જી-20 સંગઠનના 80 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
