‘ઓપરેશન સિંદૂર’ હજુપણ ચાલુ, સેના જવાબ આપવા તૈયાર: CDS
Live TV
-
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શુક્રવારે ફરી હુંકાર કર્યો કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી સંગઠનો સામે ભારતનું સૈન્ય અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ સતત ચાલુ છે અને ભારતની સેના પાડોશી તરફથી થનારા કોઈપણ દુસ્સાહસનો જવાબ આપવા માટે 24 કલાક તૈયાર છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શુક્રવારે ફરી હુંકાર કર્યો કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી સંગઠનો સામે ભારતનું સૈન્ય અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ સતત ચાલુ છે અને ભારતની સેના પાડોશી તરફથી થનારા કોઈપણ દુસ્સાહસનો જવાબ આપવા માટે 24 કલાક તૈયાર છે. તેમણે ખાસ ભાર આપીને કહ્યું કે સેના માટે ‘શસ્ત્ર’ અને ‘શાસ્ત્ર’બંનેનું અધ્યયન અગત્યનું છે, અને સશસ્ત્ર દળોની તૈયારીનું સ્તર આખું વર્ષ ઉંચુ જ હોવું જોઈએ. સીડીએસ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ‘નંબર 4 યુદ્ધ અને એરોસ્પેસ સ્ટ્રેટેજી કાર્યક્રમ’ અંતર્ગત આયોજિત ‘એરોસ્પેસ શક્તિ: ભારતની સ્વતંત્રતાનું રક્ષણ અને રાષ્ટ્રીય હિતોને આગળ ધપાવવું’ વિષયક સેમિનારમાં સંબોધન કરી રહ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે આપણે ટેક્નોલોજીના સતત વિકાસથી પ્રેરિત એક પૂર્વઅનુભવવિહિન ગતિ જોવી મળી રહી છે. આજે યુદ્ધનું સ્વરૂપ તીવ્ર (કિનેટિક) અને અતીવ તીવ્ર (નોન-કિનેટિક) સાધનોના મિશ્રણથી બનેલું છે, જેમાં પહેલા અને બીજા પેઢીના યુદ્ધના તત્વોને ત્રીજા પેઢીના આધુનિક યુદ્ધ સાથે જોડવામાં આવ્યા છે. આ એક એવું યુદ્ધ છે, જેમાં વ્યૂહાત્મક, કામગીરીક્ષમ અને નીતિગત સ્તરોનો સમન્વય થાય છે.
જનરલ ચૌહાણે ફરી સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી સંગઠનો સામે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર ચાલુ છે. તેમણે ઉમેર્યું કે, “જેમ કે મેં પહેલાથી જ કહ્યું છે કે યુદ્ધમાં બીજું કોઈ નથી હોતું. ઓપરેશન સિંદૂર એ તેનો જીવંત ઉદાહરણ છે કે આપણી તૈયારી હંમેશા શ્રેષ્ઠ સ્તરે હોવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે ટેક્નોલોજી હવે અત્યંત વિકસિત થઈ ગઈ છે, તેથી આજના યુદ્ધમાં ત્રણે સ્તરો – વ્યૂહાત્મક (ટેક્ટિકલ), કામગીરીક્ષમ (ઓપરેશનલ) અને નીતિગત (સ્ટ્રેટેજિક) – પર પારંગત થવાની જરૂર છે. આજે આપણે એ એવા વળાંકે ઊભા છીએ, જેને "સૈન્ય યુદ્ધમાં ત્રીજી ક્રાંતિ" તરીકે ઓળખી શકાય છે.
