PMનું ટ્વીટ, 24 ઓક્ટોબરે વારાણસીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીશ
Live TV
-
આ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા કાર્યકર્તાઓને આપ્યુ આમંત્રણ, નમો એપ પર મોકલી શકો છો સૂચનો
દિવાળાના પર્વ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મતવિસ્તાર વારાણસીના કાર્યકર્તાઓને સંબોધન કરશે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.વારાણસી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ પાંચ વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો અને સ્વયંસેવકો સાથે સીધો સંવાદ કરવાનો નિર્ણય લીધો છે. કાર્યકર્તાઓ તેમની સાથે નમો એપ્લિકેશન દ્વારા સંદેશાવ્યવહાર કરશે. આ માટે પાંચ જગ્યાએ મોટા એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે.પ્રધાનમંત્રીએ ટ્વીટર પર આ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા અને કાર્યક્રમ અંગેના સૂચનો મોકલવા નમો અપનો ઉપયોગ કરવા અને સૂચનો મોકલવા કહ્યુ છે..
આ માટે, નરેન્દ્ર મોદી એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. OTP થી પ્રોફાઇલ ચકાસવા માટે મતદાર ઓળખકાર્ડ આવશ્યક રહેશે. આ સાથે, કામદારોને સ્થાનિક સૂચનાઓ અને માહિતી પણ મળશે. આ પછી, સ્વયંસેવકો મોડ્યુલ પર જઈને, ડિજિટલ સ્વયંસેવકો વિભાગ સરકારના કામ વિશેની માહિતી શેર કરી શકશે.
