Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ નવી 9 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ઘોષણાની સરાહના કરી

Live TV

X
  • ભારતીય રેલ્વેએ મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને અને આધુનિક સુવિધાઓ સામાન્ય માણસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વધુ 9 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટ્રેનો મુખ્યત્વે આસામ અને પશ્ચિમ બંગાળથી શરૂ થઈને બિહાર, ઉત્તર પ્રદેશ થઈને તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા દુરના રાજ્યોને જોડશે.

    દેશમાં રેલ્વે કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 9 નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગેની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવકારી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ નવી ટ્રેનો માત્ર મુસાફરીને સુવિધાજનક જ નહીં બનાવે પરંતુ દેશમાં વ્યાપાર અને પ્રવાસનને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.

    PM મોદીએ શું કહ્યું?
    વડાપ્રધાન મોદીએ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "નવી અમૃત ભારત ટ્રેનો દેશભરમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટીમાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મુસાફરોના અનુભવને બહેતર બનાવવા ઉપરાંત, આ ટ્રેનો આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં પણ ઘણી મદદરૂપ સાબિત થશે."

    પ્રવાસી મજૂરો અને મધ્યમ વર્ગ માટે વરદાન
    આ નવી સેવાઓ ખાસ કરીને એવા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી રહી છે જ્યાંથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો રોજગાર માટે અન્ય રાજ્યોમાં જાય છે. આ ટ્રેનો તહેવારો અને વેકેશનના સમયમાં મુસાફરો માટે વિશ્વાસપાત્ર અને સસ્તું માધ્યમ સાબિત થશે. ડિસેમ્બર 2023 થી અત્યાર સુધીમાં 30 અમૃત ભારત ટ્રેનો કાર્યરત છે, અને હવે નવી 9 ટ્રેનો ઉમેરાતા આ સંખ્યા 39 પર પહોંચશે.

    કયા રૂટ પર દોડશે નવી ટ્રેનો?

    રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ નવી ટ્રેનો ભારતની પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સરહદોને જોડશે. મુખ્ય રૂટ નીચે મુજબ છે:

    • આસામ-હરિયાણા-યુપી: ગુવાહાટીથી રોહતક અને ડિબ્રુગઢથી લખનૌ.
    • બંગાળથી દક્ષિણ ભારત: ન્યૂ જલપાઈગુડીથી નાગરકોઈલ અને તિરૂચિરાપલ્લી, અલીપુરદ્વારથી બેંગલુરુ.
    • બંગાળથી મુંબઈ અને દિલ્હી: અલીપુરદ્વારથી મુંબઈ અને કોલકાતાથી આનંદ વિહાર (દિલ્હી).
    • ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ: કોલકાતાથી બનારસ વચ્ચે પણ ટ્રેન દોડશે.

    શું છે અમૃત ભારત એક્સપ્રેસની વિશેષતા?

    • સસ્તી મુસાફરી: 1000 કિલોમીટરની મુસાફરીનું ભાડું માત્ર અંદાજે 500 રૂપિયા છે.
    • નો-ડાયનેમિક પ્રાઇસિંગ: રેલ્વેએ આ ટ્રેનોમાં ડાયનેમિક પ્રાઇસિંગ રાખ્યું નથી, જેથી ભાડું હંમેશા સ્થિર અને પારદર્શક રહે છે.
    • આધુનિક સુવિધાઓ: આ નોન-એસી સ્લીપર ટ્રેનો હોવા છતાં, તેમાં મુસાફરોની સુવિધા અને સલામતી માટે આધુનિક ડિઝાઇન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ ટ્રેનો શરૂ થવાથી ખાસ કરીને પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામના લાખો મુસાફરોને આધુનિક અને સસ્તી રેલ મુસાફરીનો લાભ મળશે. અમૃત ભારત એક્સપ્રેસ એ ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં ડાયનેમિક પ્રાઈસિંગ વગર લક્ઝરી સુવિધાઓ મળે છે. ભારતીય રેલ્વે હવે માત્ર પ્રીમિયમ મુસાફરો માટે જ નહીં, પરંતુ દરરોજ મુસાફરી કરતા લાખો સામાન્ય લોકો માટે પણ વિશ્વસનીયતા અને આરામની ખાતરી આપી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply