PM મોદીએ રોહતકમાં દીનબંધુ છોટુરામની પ્રતિમાનું અનાવરણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના રોહતક નજીકના સાંપલા ગામે પહોંચીને સ્વતંત્રતા સેનાની દીન બંધુ છોટુ રામજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સર છોટુ રામ હરિયાણાના નેતા હતા.
તેમણે ખેડૂતના કલ્યાણ અને દલિત વર્ગના ઉત્થાન માટે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે છોટુ રામજીના જીવન પર આધારીત પ્રદર્શન પણ નિહાળ્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રીએ કિસાન રેલીને પણ સંબોધી હતી. પ્રધાનમંત્રી મોદી સોનીપતમાં રેલવે ડબ્બાના સમારકામના કારખાનાનું ખાતામુર્હત પણ કરશે.
