Skip to main content
Settings Settings for Dark

PM મોદી 15 સપ્ટે.થી ત્રણ રાજ્યોના પ્રવાસે, અનેક વિકાસ યોજનાઓની આપશે ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 થી 17 સપ્ટેમ્બર સુધી ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરતી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

    પ્રધાનમંત્રી મોદી આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરે ઝારખંડથી તેમની યાત્રા શરૂ કરશે. PM સવારે 10 વાગ્યે ટાટાનગર જંકશન રેલવે સ્ટેશન પર ટાટાનગર-પટના વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અહીં 6 વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે, જે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે.  PM મોદી ટાટાનગરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ₹660 કરોડથી વધુના મૂલ્યની વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ સાથે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ (PMAY-G) હેઠળ ઝારખંડના 20,000 લાભાર્થીઓને મંજૂરી પત્રો વિતરિત કરીને અને 46,000 નવા બનેલા ઘરો માટે હાઉસ વોર્મિંગ સમારોહમાં ભાગ લઈને આવાસ પહેલમાં પણ ભાગ લેશે.

    16 સપ્ટેમ્બરના રોજ PM મોદી ગુજરાતના ગાંધીનગરમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારપછી તેઓ મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ સમિટ અને એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે, જે રિન્યુએબલ એનર્જીમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિ દર્શાવે છે. આ કાર્યક્રમમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નોર્વે જેવા ભાગીદાર દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સામેલ થશે, જે ટકાઉ ઊર્જા ઉકેલો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

    PM મોદી અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
    અમદાવાદમાં, પીએમ મોદી 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં રેલવે લાઇન અને ફ્લાયઓવર બ્રિજને ચાર ગણો બનાવવાનો સમાવેશ થાય છે. તેઓ ભુજથી અમદાવાદ સુધીની ભારતની પ્રથમ વંદે મેટ્રો તેમજ દેશભરમાં અનેક નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. પ્રધાનંત્રી સૌર પીવી પ્રોજેક્ટ અને અન્ય રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે, વધુમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ, વડાપ્રધાન ગુજરાતમાં 30,000 થી વધુ મકાનોને મંજૂરી આપશે અને આ મકાનો માટે સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે.

    ઓડિશામાં PM મોદી તેમની મુલાકાતના છેલ્લા દિવસે 17 સપ્ટેમ્બરે ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ PM રાજ્યની મુખ્ય સુભદ્રા યોજના શરૂ કરશે, જેનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં રૂ. 50,000ની નાણાકીય સહાય સાથે 1 કરોડથી વધુ મહિલાઓને ટેકો આપવાનો છે. તેઓ રેલવે અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત રૂ. 3,800 કરોડના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જે કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપશે. પ્રધાનમંત્રી દેશભરમાંથી PMAY યોજનાના 26 લાખ લાભાર્થીઓ માટે હાઉસવોર્મિંગ સમારોહની અધ્યક્ષતા પણ કરશે. આ મુલાકાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટકાઉ ઉર્જા અને બધા માટે આવાસ માટે PM મોદીની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply