અમરેલીમાં ડુંગળીના પાકનું મબલખ વાવેતર
Live TV
-
કાચી ડૂંગળીના પાકને ન તોડી ડુંગળીને બરાબર પકાવી, સ્ટોર કરી મૂકવા બાગાયતી અધિકારીઓની ભલામણ
અમરેલી જિલ્લામાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. અહીંના ખેડૂતો સરકારી યોજનાઓની સહાય થી ડુંગળીનું મોટું વાવેતર કરે છે.આ વર્ષે અમરેલીમાં ડુંગળીનો પાક ખૂબજ થયો હોય અને સાથે ભાવ પણ સારા હોય ત્યારે ખેડૂતો ને ખૂબજ સારું વળતર મળી રહ્યું છે. છતાં બાગાયતી અધિકારી દ્વારા ખેડૂતો કાચી ડુંગળી ન તોડીને ડુંગળી ને પાકવા દેવાની તેમજ વ્યવસ્થિત સ્ટોર કરી મૂકીને માર્કેટમાં મૂકવા ભલામણ કરી રહ્યા છે.આ વર્ષે ખેડૂતો ને સારા ભાવો મળ્યા હોય ખેડૂતો માં પણ ડુંગળી નાં વાવેતર તરફ ઉત્સાહ વધ્યો છે
