અરવલ્લીમાં વિચાર-વિમર્શ સંગષ્ઠીનું આયોજન
Live TV
-
સામાજિક સમરસતા મંચ અરવલ્લી જિલ્લા દ્વારા આયોજન
અતિથિ દેવો ભવ અને વ્યક્તિ-વ્યક્તિ, સમાજ-સમાજ તેમજ જાતિ જાતિ વચ્ચે સંબંધો મજબૂત બને અને તમામ લોકો એકબનીને રહે તે હેતુથી અરવલ્લી જિલ્લામાં વિચાર-વિમર્શ સંગષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોડાસાના ભામાશા હોલ ખાતે આયોજિત સામાજિક સમરસતા મંચ અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના આગેવાનો તેમજ જિલ્લાના અગ્રણીઓ સામાજિક સમરસતા કાર્યક્રમમાં જોડાઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ માટે સામાજિક સમરસતા સમિતિના સંયોજક ચંદ્રકાન્ત પટેલ દ્વારા ખાસ આયોજન કરાયું હતું, જેમાં વક્તા તરીકે સુનિલભાઈ મહેતા તેમજ મહંત બાલકદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
