કોરોનાના કારણે રાખડી માર્કેટમાં મંદીનો માહોલ
Live TV
-
રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ પણ બજારમાં રાખડીઓના માર્કેટમાં જોઈએ તેવી ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદમાં આવેલ મિલ્લતનગર રાખડીનું હોલસેલ માર્કેટ 30 વર્ષ જૂનું છે. અહીંથી બનેલ રાખડીઓ દેશના જુદા જુદા રાજ્યોમાં જતી હોય છે. મોટાભાગે મુસ્લિમ બહેનો દ્વારા આ રાખડી બનાવવામાં આવતી હોય છે. જો કે ખરીદનાર મોટાભાગનો વર્ગ હિન્દુ વેપારીઓનો છે અને હોલસેલ માર્કેટમાં સૌથી નીચી કિંમતે વેચાતા મોટાભાગના ગુજરાત તેમજ બહારનાં રાજ્યોના વેપારીઓ પણ હોલસેલમાં અહીંથી રાખડીઓ લઈ જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે. જોકે આ વર્ષે સિલ્ક રુદ્રાક્ષ અને રેશમની દોરાવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું છે.
