ગાયમાતાની તંદુરસ્તી હરિફાઈ યોજાઈ
Live TV
-
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ગાયો વચ્ચે હરિફાઈ
સોમનાથ ખાતે ગૌસેવા અંર્તગત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ગાયમાતાની તંદુરસ્તી હરિફાઇ યોજાઇ હતી. બંન્ને જીલ્લા માંથી ૧૭૩ ગીર ગાયો ની એન્ટ્રી આવી હતી. જેમાં નિષ્ણાંત વેટરનરી ડોકટરો ની ટીમ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં 10 જેટલી ગાયો વિજેતા થઈ હતી. ખાસ કરીને લોકો માં ગાયમાતા પ્રત્યે જાગૃતતા કેળવાય અને ગીર ગાય નો સંવર્ઘન સાથે વ્યાપ વઘે તે માટે આ પ્રકાર ની હરીફાઇ નું આયોજન કરવમાં આવ્યું હતું. વિજેતા ગૌપાલકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, રાજય કૃષી મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા.
