ચંદ્ર ગ્રહણને લઇને જગત મંદિરમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Live TV
-
આજે ચંદ્ર ગ્રહણ હોવાથી ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા આરતી સવારે ૬:૦૦ કલાકે અને બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ૪:૦૦ વાગ્યા થી ૮:૦૦ વાગ્યા સુધી ભક્તો ફરી ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો લાભ લઇ શકશે.
આજે ચંદ્ર ગ્રહણ હોવાથી ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળા આરતી સવારે ૬:૦૦ કલાકે અને બપોરે ૧:૦૦ વાગ્યાથી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ૪:૦૦ વાગ્યા થી ૮:૦૦ વાગ્યા સુધી ભક્તો ફરી ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો લાભ લઇ શકશે. ચંદ્રગ્રહણ હોવાથી ભગવાનને રાત્રિનાં ૮ વાગ્યે જ શયન કરવી દેવામાં આવશે. આ અંગે દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા પણ સમય પત્રક જાહેર કરવામાં આવ્યો છે.
