નવસારીના વેરાવળમાં ગ્રામીણ લોકો માટે મનરેગા યોજનાથી થયા પગભર
Live TV
-
રાજય સહિત દેશમાં ગ્રામીણ રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના શરૂ કરી હતી.
રાજય સહિત દેશમાં ગ્રામીણ રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત નવસારીના વેરાવળ ગામમાં તળાવનાં બ્યુટીફિકેશનનાં નવીનીકરણનું કામ મનરેગા યોજના હેઠળ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં આ યોજનાને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં જિલ્લાના ૧૦૦ જેટલા ગામોમાં મનરેગા યોજના હેઠળના કામો ધમધમી રહ્યા છે. ેજને પગલે અનેક પરિવારો યોજના હેઠળ પ્રતિ દિન વેતન મેળવી આર્થિક રીતે પગભર થયા છે.
