પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર
Live TV
-
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આવતા યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે.ત્યારે ભગવાન ભોલેનાથના દર્શન માટે શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે.સોમવારના પાવન દિવસે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરમાં તો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી અનેક લોકો ભગવાન ભોલેના દર્શન કરવા માટે પહોંચ્યા છે.તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આવતા યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.બીજી તરફ સોમનાથ સિવાયના પણ રાજ્યભરના શિવ મંદિરોમાં લોકો દર્શન માટે ઉમટ્યા છે.લોકો ભગવાન શિવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.
