પાણી ચોરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- ઊર્જામંત્રી
Live TV
-
ઉર્જામંત્રી સૌરભ પટેલે ગઇકાલે વિધાનસભા ગૃહ ખાતે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂતોને પાણી મળે તે માટે હંમેશાથી ચિંતા કરે છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આજે જે બિલ લાવ્યા છીએ, તેમાં પાણી ચોરનારની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાના ગુનામાં નાની સજા અને મોટા ગુનામાં મોટી સજાની જોગવાઈ કરેલ છે. તેમણે જણાવ્યું હતું કે, પાણી ચોરીમાં કોઈ ઉદ્યોગકાર હોય કે રાજકીય પક્ષનો આગેવાન, દરેક પર કડક કાયદાની જોગવાઈ થશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખેતી માટેની વીજળી, બિયારણ, ખાતર અને હવે ટુલ્સ પર પણ સબસિડી આપવાની વ્યવસ્થા સરકારે કરેલ છે.
