પ્રેરણાદાયી 'પાઠશાળા': સુરતમાં બીનાબેન 120થી વધુ વડીલ મહિલાઓને શિક્ષણ આપીને આત્મવિશ્વાસ વધારી રહ્યાં છે
Live TV
-
પ્રેરણાદાયી 'પાઠશાળા': સુરતમાં બીનાબેન 120થી વધુ વડીલ મહિલાઓને શિક્ષણ આપીને આત્મવિશ્વાસ વધારી રહ્યાં છે
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બીનાબેન નામના એક મહિલાએ શરૂ કરેલી 'પાઠશાળા' આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ગઈ છે. આ પાઠશાળામાં 120થી વધુ વૃદ્ધ મહિલાઓ દરરોજ સાંજે 3 થી 5 વાગ્યા સુધી ભણવા આવે છે.
આ પાઠશાળાની ખાસ વાત એ છે કે અહીં આવતી મોટાભાગની મહિલાઓ એવી છે, જેમણે ક્યારેય શાળાનો દરવાજો જોયો નથી અને તેમના હાથમાં ક્યારેય પેન્સિલ પકડી નથી.
શિક્ષણની સાથે આત્મસન્માન
બીનાબેન આ સિનિયર સિટીઝન સેન્ટરમાં માત્ર વૃદ્ધ મહિલાઓને લખતા-વાંચતા જ નથી શીખવતા, પરંતુ તેમને જીવનમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવાનું પ્રેરણાદાયી કાર્ય પણ કરી રહ્યાં છે.
નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ
સૌથી પ્રશંસનીય બાબત એ છે કે બીનાબેન આ સેવા માટે કોઈની મદદ લેતા નથી. તેઓ પોતાની બહેનો સાથે મુખવાસનો નાનો વ્યવસાય ચલાવીને જે કંઈ કમાણી કરે છે, તેમાંથી જ તેઓ વિદ્યાર્થીનીઓ માટે ચોક, નોટબુક અને પેન્સિલ જેવી તમામ શૈક્ષણિક સામગ્રીઓ ખરીદે છે.
સ્ટ્રીટલાઈટ નીચે એક નાનકડા વિચાર તરીકે શરૂ થયેલી તેમની આ યાત્રા આજે કતારગામની અનેક વડીલ મહિલાઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી રહી છે. બીનાબેનનું આ નિઃસ્વાર્થ કાર્ય સમાજમાં શિક્ષણના મહત્વ અને જીવનના કોઈપણ તબક્કે શીખવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
