ભરૂચ મંદિરમાં મહંત સ્વામીએ પુષ્પવર્ષા કરી ભાવિકોને દર્શન આપ્યા
Live TV
-
ભરૂચ સ્વામીનારાયણ મંદિરે ભાવિકોએ પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પુષ્પ વર્ષાના છંટકાવ અને સમીપ દર્શનનો લાભ લીધો હતો.
છ જુલાઈના રોજ ઝાડેશ્વર ખાતેના સ્વામીનારાયણ મંદિરે આવેલા મહંત સ્વામી 10 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના ભાવિકોને દર્શન આપવાના છે.
આ પ્રસંગે આયોજીત ફૂલોની હોલી કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પૂ.મહંત સ્વામીના દર્શનનો લાભ લીધો હતો.
