મહેસાણાના વડનગરમાં હાટકેશ્વર મંદિરથી નીકળી ભગવાન ભોળાનાથની શોભાયાત્રા
Live TV
-
મહેસાણા જિલ્લાના વડનગરમાં ઐતિહાસિક અને પૌરાણિક હાટકેશ્વર મંદિરથી ભગવાન ભોળાનાથની શોભાયાત્રા નીકળી હતી. જેમાં, યુવાનો તલવાર અને સાફામાં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા. તો, આ યાત્રા પરંપરા મુજબ ચૈત્રેશ્વરી માતાજીના મંદિરે પહોંચી હતી. જ્યાં, માતાજીને સાડી અને ભેટ અર્પણ કરી શોભાયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. તો, મહાશિવરાત્રી નિમિત્તે શિવજીને વિશેષ શૃંગાર તેમજ મંદિરમાં ફૂલોની આકર્ષક રંગોળી કરવામાં આવી હતી.
