ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે, માં કામાખ્યા ધામમાં પૂજા અર્ચના કરી
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રવિવારે સવારે, ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા.
આ મુલાકાત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા થઈ છે. બંને ટીમો શનિવારે ગુવાહાટી પહોંચી હતી. ભારતીય ટીમ સાંજે 5 વાગ્યાની આસપાસ લોકપ્રિય ગોપીનાથ બરદલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ વહેલી પહોંચી હતી.
