મોરબીમાં પરમાણુ ઉર્જા અંગે સેમિનાર યોજાયો
Live TV
-
પરમાણુ સહેલી તરીકે પ્રસિદ્ધ નિલમ ગોયેલની અધ્યક્ષતામાં સેમિનાર
મોરબી ખાતે જાણીતા પર્યાવરણ વિદ અને પરમાણુ સહેલી તરીકે પ્રસિદ્ધ નિલમ ગોયેલની અધ્યક્ષતામાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરમાણુ ઉર્જા અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. મોરબી સિરામિક ઉદ્યોગનાં ઉદ્યોગપતિઓમાં પરમાણું ઉર્જાની આવશ્યકતા અને તેનાં લાભોથી માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવવા આયોજીત આ સેમિનારમાં નિલમ ગોયેલે પરમાણુ ઉર્જા અંગે અને જળસંચય અભિયાન અંતર્ગત નદી જોડો અભિયાન પર વિસ્તૃત માહિતી આપી તેની જાળવણી પર ભાર મૂક્યો હતો.
