મોરબીમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
Live TV
-
મોરબી રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાય છે. ત્યારે મોરબીમાં આયોજિત રાજપૂત સમાજના સન્માન સમારોહ યોજાઇ ગયો.
મોરબી રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 47 વર્ષથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાય છે. ત્યારે મોરબીમાં આયોજિત રાજપૂત સમાજના સન્માન સમારોહ યોજાઇ ગયો. તેમાં કોલેજ તેમજ અનુસ્તાનક કક્ષા સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯માં લેવાયેલ જીપીએસસી પરીક્ષામાં પાસ થયેલ ક્ષત્રીય રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ અગ્રણી આઈ કે જાડેજા, રાજ્ય કક્ષા મંત્રી જયદ્રથસિંહ પરમાર, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
