શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિભાગીય રોજગાર કચેરી ખાતે કેરિયર્સ કાઉન્સીલર્સનો કાર્યક્રમ યોજાયો
Live TV
-
કાઉન્સીલર્સ જાગૃતિ કાર્યક્રમમાં અમદાવાદ વિભાગ હેઠળ આવતા સાત જિલ્લાઓના મોડેલ કેરિયર કાઉન્સીલર્સ અને ઇન્ડેક્સ-બીના કાઉન્સીલર્સોએ ભાગ લીધો હતો.
અમદાવાદમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિભાગીય રોજગાર કચેરી ખાતે કેરિયર્સ કાઉન્સીલર્સનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાઉન્સીલર્સ જાગૃતિ કાર્યક્રમમાં અમદાવાદ વિભાગ હેઠળ આવતા સાત જિલ્લાઓના મોડેલ કેરિયર કાઉન્સીલર્સ અને ઇન્ડેક્સ-બીના કાઉન્સીલર્સોએ ભાગ લીધો હતો. રાજ્યમાં રોજગાર વાંચ્છુઓ અને નોકરી દાતાઓને જે સેવાઓ મળી રહી છે, તે વધુ અસરકારક બને અને યુવાનોમાં જાગૃતતા આવે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવી લોક જાગૃતિ પણ આ કાઉન્સીલર્સ કરશે.
