સતવારા સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન
Live TV
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સતવારા સુરક્ષા સેના આયોજિત સમસ્ત સતવારા સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. શહેરની લાઇફલાઇન બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ કેમ્પનો હેતુ સુરેન્દ્રનગરમાં થેલેસેમિયાગ્રસ્ત તેમજ અન્ય જરૂરિયાતમંદોને લોહીની જરૂર હોય તેવા કિસ્સામાં સરળતાથી લોહી મળી રહે. જેમાં મોટી સંખ્યામાં સતવારા સમાજના આગેવાનો અને યુવાનોએ ઉમટી પડી સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડને શહેરની લાઇફ લાઇન બ્લડ બેંકમાં જમા કરાવાયું છે. આગામી સમયમાં લોકો વધારે રકતદાન કરે તે દિશામાં યુવાન કામ કરીને લોકોને મેસેજ આપી રહયા છે. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
