ભારતે ઈગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા
Live TV
-
પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો આ સૌથી નાનો ટાર્ગેટ છે
વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો આ સૌથી નાનો ટાર્ગેટ છે. આ પહેલા બર્મિંગહામના મેદાન પર ટીમે 199 રનમાં 8 વિકેટે 232 રન બનાવ્યા હતા...લખનઉના એકાના સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 39 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા શુભમન ગિલ 9 રન, વિરાટ કોહલી 0 અને શ્રેયસ અય્યર 4 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લિશ ટીમ તરફથી ડેવિડ વિલીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદ અને માર્ક વૂડે 2-2 વિકેટ લીધી હતી.
