ભારતે સ્ટીલ પર યુએસ ડ્યુટીનો સામનો કરવા માટે WTOને ટેરિફ યોજનાની જાણ કરી
Live TV
-
ભારતે વિશ્વ વેપાર સંગઠન (WTO)ને સૂચિત કર્યું છે કે, દેશ અમેરિકાથી ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ પર લાદવામાં આવેલી ડ્યુટીનો સામનો કરવા માટે પસંદગીના યુએસ માલ પર ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. WTO અનુસાર, આ પ્રકારની અમેરિકી સુરક્ષા ઉપાયોથી 7.6 બિલિયન ડોલરના ભારતીય ઉત્પાદકોને આયાતને અસર કરશે, જેમાં અંદાજિત ડ્યુટી વસૂલાત 1.91 બિલિયન ડોલર હશે. એપ્રિલમાં જ્યારે ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતે WTOના સલામતી કરાર હેઠળ અમેરિકા સાથે પરામર્શની વિનંતી કરી હતી.
WTO ખાતે અમેરિકાનો અભિપ્રાય એવો હતો કે, ભારતીય માલ પર ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર લાદવામાં આવ્યા હતા અને તેને સુરક્ષા માપદંડ ગણવો જોઈએ નહીં. ભારતે WTO ને આપેલા પોતાના નોટિફિકેશનમાં, સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત ઉત્પાદનો પર યુએસ સુરક્ષા પગલાંના પ્રતિભાવમાં છૂટછાટો અને અન્ય જવાબદારીઓને સ્થગિત કરવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો.
ભારતની વિનંતી પર 9 મે, 2025 ના રોજ WTOએ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, જોકે યુએસએ આ પગલાંને WTO ને ઔપચારિક રીતે સૂચિત કર્યા નથી, તેમ છતાં તેમને અસરકારક રીતે સલામતી પગલાં ગણવામાં આવે છે. જ્યારે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ભારતનું માનવું છે કે અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલાં જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ (GATT) 1994 અને એગ્રીમેન્ટ ઓન સેફગાર્ડ્સ (AOS) સાથે અસંગત છે.
નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, AoS ની જોગવાઈઓ હેઠળ પરામર્શ થયો નથી અને કરારના ઉલ્લંઘનથી ભારતના વેપાર પર પ્રતિકૂળ અસર પડી રહી છે, તેથી તે છૂટ અથવા અન્ય જવાબદારીઓને સ્થગિત કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે જણાવ્યું છે કે દેશ 30 દિવસના સમયગાળા પછી જ છૂટ અથવા અન્ય જવાબદારીઓને સ્થગિત કરવાનો અધિકારનો ઉપયોગ કરશે.
ભારતે કહ્યું કે, પોતાના અધિકારોને પ્રભાવિત રીતે પ્રયોગ કરવાને લઈને અગત્યનું પગલું ભર્યું છે. પ્રસ્તાવિત ટેરિફ હજુ પણ WTO સૂચનાના તબક્કામાં છે, ત્યારે ભારત ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે નવા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે.