રાષ્ટ્રીય
Live TV
-
16થી 22 જૂન દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના: IMD
16-06-2025 | 6:10 pm
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે 16 જૂને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 16 થી 22 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD એ 18 જૂને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, 16 જૂને કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અને 17 જૂને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.
-
ભારત આપત્તિ વ્યવસ્થાપનમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે: ગૃહમંત્રી અમિત શાહ
16-06-2025 | 5:53 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત આપત્તિ વ્યવસ્થાપનમાં વૈશ્વિક નેતૃત્વ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે સોમવારે આયોજિત રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના પરિષદમાં આ વાત કહી. શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ગતિ, ક્ષમતા, કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે.
-
ભારતીય કોસ્ટ ગાર્ડ માટે સ્વદેશી રીતે ડિઝાઈન કરાયેલ જહાજ 'અચલ' લોન્ચ કરાયું
16-06-2025 | 5:21 pm
ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 60 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલ જહાજ 'અચલ' સોમવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કિનારાના કોસ્ટ ગાર્ડ કમાન્ડર અનિલ કુમાર હરબોલાના પત્ની કવિતા હરબોલાએ 'અથર્વવેદ' ના મંત્ર સાથે જહાજનું નામકરણ કર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરીને આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.
-
કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી માટે બહાર પાડ્યું જાહેરનામું, 1 માર્ચ, 2027થી શરૂ થશે ગણતરી
16-06-2025 | 4:37 pm
કેન્દ્ર સરકારે સોમવારે વસ્તી ગણતરી માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેની પ્રક્રિયા માર્ચ 2027થી શરૂ થશે. ગૃહ મંત્રાલયે જાહેર કરાયેલા ગેઝેટ જાહેરનામા અનુસાર, "જનગણના અધિનિયમ, 1948 ની કલમ 3 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને 26 માર્ચ, 2018 ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સૂચનાને રદ કરીને, ભારત સરકાર આથી જાહેર કરે છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન હાથ ધરવામાં આવશે."
-
-
-
-
-
-
-
-
-
કેદારનાથ યાત્રા રૂટ પર ગૌરીકુંડ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ
15-06-2025 | 8:46 am
કેદારનાથ યાત્રા રૂટ પર ગૌરીકુંડ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ
-
પ્રધાનમંત્રી મોદી સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાના પાંચ દિવસીય પ્રવાસે રવાના થશે, G-7 સમિટમાં આપશે હાજરી
15-06-2025 | 8:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 15 જૂન, સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાના પાંચ દિવસીય પ્રવાસ માટે રવાના થશે.
-
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
15-06-2025 | 7:25 am
મહારાષ્ટ્રમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે, ખાસ કરીને થાણે જિલ્લા અને મુંબઈમાં શનિવારે સાંજે મુશળધાર વરસાદ નોંધાયો હતો.
-
અમદાવાદ વિમાન દુર્ઘટના તપાસ રિપોર્ટ ત્રણ મહિનામાં આવશે: નાગરિક ઉડ્ડયન મંત્રી
14-06-2025 | 7:51 pm
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ શનિવારે જણાવ્યું હતું કે, સરકારે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિ ત્રણ મહિનામાં ઘટનાનો તપાસ અહેવાલ રજૂ કરશે.
-
મણિપુરમાં મોટી કાર્યવાહી: 328 બંદૂકો, 10 ગ્રેનેડ અને 7 ડેટોનેટર જપ્ત
14-06-2025 | 5:00 pm
મણિપુર પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ એક વિશાળ શોધખોળ કામગીરી હાથ ધરી છે અને મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.
-
રામની નગરી અયોધ્યાની સુરક્ષા માટે એક હજાર કેમેરા, સિવિલ લાઇન્સમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે
14-06-2025 | 5:01 pm
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ, ભગવાન રામના નગરી અયોધ્યાને સ્માર્ટ અને સલામત શહેર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
-
ગૃહમંત્રી અમિત શાહ, યુપી પોલીસના 60,244 પસંદ કરાયેલા કોન્સ્ટેબલોને નિમણૂક પત્રો સોંપશે
14-06-2025 | 4:13 pm
15 જૂને ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ સિવિલ પોલીસની 60,244 જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે
-
સરકારે એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
14-06-2025 | 5:44 pm
ગુજરાત સરકાર, અમદાવાદ પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓથોરિટી અને ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો પણ આ ટીમનો ભાગ હશે
-
-
ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી માટે ઓરેન્જ એલર્ટ, 14 જૂનથી હવામાન બદલાશે
13-06-2025 | 6:32 pm
તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતમાં હવામાનમાં હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે.
-
પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ
13-06-2025 | 5:38 pm
શુક્રવારે પંજાબના પઠાણકોટમાં, વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું. પાયલોટ અને અન્ય સૈનિકો સુરક્ષિત છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
-
બોમ્બની ધમકી બાદ, એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
13-06-2025 | 4:40 pm
થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાન AI-379 ને શુક્રવારે બોમ્બ ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
-
ભારતે ઈરાન-ઈઝરાયલને સંયમ રાખવાની કરી અપીલ
13-06-2025 | 1:17 pm
ભારતે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
-
ઉત્તર ભારતમાં ગરમીના પ્રકોપના કારણે ઓરેન્જ એલર્ટ જારી
13-06-2025 | 1:05 pm
ઉત્તર ભારતમાં 14 જૂનથી હવામાનમાં પલટો આવશે
-
Axiom-4 મિશન અંગે નવી અપડેટ, ISRO ચીફ V Narayanan એ આપી મહત્વપૂર્ણ માહિતી
13-06-2025 | 10:56 am
આખો દેશ Axiom-4 મિશનના પ્રથમ ભારતીય ગગનયાત્રી સાથે સમયસર ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યો હતો.
-
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર આરતી કરવામાં આવી
13-06-2025 | 8:36 am
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોની આત્માની શાંતિ માટે ઉત્તર પ્રદેશના વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો લોકો હાજર હતા.
-
AI 171 પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત
13-06-2025 | 8:28 am
એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ : ટાટા ગ્રુપ
-
અમદાવાદ વિમાન દુર્ઘટના પર કંગના રનૌતથી લઈને અક્ષય કુમાર સુધીના સેલિબ્રિટીએ વ્યક્ત કર્યું દુ:ખ
12-06-2025 | 7:29 pm
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ પછી તરત જ ક્રેશ થયાના સમાચારથી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ પણ દુઃખી છે. સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પીડિતો માટે પ્રાર્થના કરી.
-
ભારતમાં થયેલી એવી 10 વિમાન દુર્ઘટના જે દુર્ઘટનાઓથી દરેક લોકો થયા સ્તબ્ધ
12-06-2025 | 6:38 pm
ગુરુવારે અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર બધાનું ધ્યાન દેશમાં ઉડ્ડયન અને સલામતી પર કેન્દ્રિત કર્યું છે. આ પહેલાની છેલ્લી મોટી દુર્ઘટના 2020 માં કાલિકટમાં બની હતી, જેમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૨ નવેમ્બર, 1996ના રોજ ચરખી દાદરીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 349 લોકો મૃત્યુ પામ્યા હતા, તે દેશનો સૌથી મોટો હવાઈ અકસ્માત હતો.
-
NCC કેડેટ્સે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપ્યો 10 લાખનો ચેક
12-06-2025 | 5:55 pm
નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની એક યુવા પર્વતારોહણ ટીમે વિશ્વના સૌથી ઊંચા શિખર 'માઉન્ટ એવરેસ્ટ' પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું છે. ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનાર નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની આ ટીમનું સન્માન કર્યું.
-
IMDની નવી પહેલ, અનૌપચારિક કામદારોને હવે સમયસર હવામાન માહિતી મળશે
12-06-2025 | 5:28 pm
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કામદારોને સીધી હવામાન માહિતી પૂરી પાડવા માટે અનૌપચારિક મજૂર સંગઠનો સાથે ભાગીદારી કરી. ગ્રીનપીસ ઇન્ડિયાના આબોહવા અને ઉર્જા પ્રચારક અમૃતા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
-
યુવાઓના કારણે ઈનોવેશન અને ટેક્નોલોજીમાં દેશની હરણફાળ: PM મોદી
12-06-2025 | 1:28 pm
છેલ્લા 11 વર્ષમાં, ભારતે ડિજિટલ દુનિયામાં ક્રાંતિકારી સફર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આનો શ્રેય દેશની યુવા પેઢીને આપી રહ્યા છે. ડિજિટલ દિશામાં 11 વર્ષના કાર્યકાળ અંગે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર "X" હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારતના યુવાનોની મદદથી, આપણે નવીનતા અને ટેકનોલોજીના ઉપયોગમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છીએ. આ આત્મનિર્ભર અને વૈશ્વિક ટેકનોલોજીકલ સુપરપાવર બનવાના પ્રયાસોને પણ મજબૂત બનાવી રહ્યું છે.
-
હવે વેરિફાઈડ યુઝર્સ જ રેલવેમાં તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે
12-06-2025 | 10:39 am
તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, 1 જુલાઈથી ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ ટિકિટ બુક કરાવી શકશે. મુસાફરોને તત્કાલ ટિકિટો વાજબી અને પારદર્શક રીતે સુલભ બનાવવા અને તેમના હિતોનું રક્ષણ કરવા માટે, ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ જુલાઈથી, ફક્ત આધાર વેરિફાઇડ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અને એપ પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. AC અને નોન-AC ક્લાસ માટે પ્રથમ ૩૦ મિનિટમાં કોઈ એજન્ટ બુકિંગ નહીં થાય. તે જ સમયે, ૧૫ જુલાઈથી, ઓનલાઈન અને પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર અને અધિકૃત એજન્ટો દ્વારા તત્કાલ બુકિંગ માટે OTP આધારિત વેરિફિકેશન ફરજિયાત બનશે.
-
ભારતીય મૂળના ડૉક્ટર અમેરિકન મેડિકલ એસો.ના પ્રમુખ બન્યા
12-06-2025 | 8:55 am
અમેરિકન મેડિકલ એસોસિએશનના 178 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, ભારતીય મૂળના વ્યક્તિએ સંસ્થાની કમાન સંભાળી છે. 10 જૂનની રાત્રે હયાત રિજન્સી શિકાગો ખાતે એક ઔપચારિક સમારોહમાં 180મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે કહ્યું કે આ તેમના માટે ભાવનાત્મક ક્ષણ છે. તેઓ તેને વ્યક્ત કરી શકતા નથી. તે ફક્ત એક હૃદયસ્પર્શી અને અદ્ભુત પ્રસંગ છે. ડૉ. શ્રીનિવાસ મુક્કામાલા અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. લોકો તેમને પ્રેમથી બોબી મુક્કામાલા કહે છે. તેઓ એક MD અને એક ઉત્તમ ઓટોલેરીંગોલોજિસ્ટ છે.
-
રેલવેની વધતી કનેક્ટિવિટી દેશના વિકાસમાં ભાગીદાર બનશે: PM મોદી
12-06-2025 | 10:17 am
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, પ્રધાનમંત્રીએ કહ્યું, " રેલ્વે સંબંધિત બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ રાજ્યોને આવરી લેતા આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટી, વાણિજ્યમાં સુધારો કરશે અને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપશે."
-
જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને ઝટકો, જામીન અરજી ફગાવી દેવાઈ
12-06-2025 | 8:06 am
જ્યોતિ મલ્હોત્રાની 16 મેના રોજ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે જાસૂસીના શંકાના આધારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 12 લોકોમાંની એક હતી.
-
-
news archive
10-06-2025
મંગળવાર