ગુજરાતના તમામ અભ્યારણ્યો 15 જૂનથી 4 મહિના માટે રહેશે બંધ,વનવિભાગે વગાવ્યો પ્રતિબંધ
Live TV
-
ગુજરાતમાં ચોમાસા દરમિયાન આજથી એટલે કે 15 જૂનથી ચાર મહિના માટે રાજ્યના તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.
ચોમાસાનો સમય હોવાથી અભયારણ્ય રહેશે બંધ
વન વિભાગે જાહેરનામા મુજબ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર, ચક્રવાત તેમજ ખરાબ રસ્તા જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. વધુમાં આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તનપ્રાણીઓ, સરીસૃપ વિગેરે પ્રજાતિઓવન્યજીવોના સંવનનકાળનો હોવાથી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે.
કચ્છના રણમાં આવેલા ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતના તમામ 27 અભયારણ્ય આજથી બંધ રહેશે..16 ઓક્ટોબર 2025થી તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.
ખાનગી કે સરકારી વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ બંધ રહેશે
વનવિભાગે વધુમાં જણાવ્યાનુસાર આગામી તા. ૧૬ ઓક્ટોબર-૨૦૨૫થી તમામ અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ ખાનગી કે સરકારી વેબસાઈટ-પોર્ટલ પર પ્રવાસીઓ માટે આ સ્થળોની મુલાકાત કરવા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી જેની પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.