ચૈત્રી નવરાત્રીનું આજે બીજું નોરતું
Live TV
-
આજે ચૈત્રી નવરાત્રીનું બીજું નોરતું છે. આજે મા બ્રહ્મચારિણીના સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણી બુદ્ધિ, જ્ઞાન અને તપસ્યાના પ્રતિક છે. બ્રહ્મચારિણીનો અર્થ છે તપનું આચરણ કરનાર . માતાનું આ સ્વરૂપ પાર્વતી દેવીની તપસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે.માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા કઠોર સાધના કરી હતી. મા બ્રહ્મચારિણીના હાથમાં અષ્ટદલની માળા હોય છે.માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત અને તેજસ્વી હોય છે.