જામનગરમાં બની સામૂહિક આપઘાતની ઘટના
Live TV
-
ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે... આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના મૃતદેહ ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. જામનગર ગ્રામ્ય DYSP આર બી દેવધા અને ધ્રોલ પોલીસે આ સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરી છે.