મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરને રૂ. 430 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
Live TV
-
જામનગર શહેરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જામનગર શહેરમાં ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 430 કરોડથી વધુના ખર્ચે વિવિધ 30 પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ વર્ષ-2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર શહેરી વિકાસ અંગે ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં વધારો કરાયો. શહેરી વિકાસ વર્ષ-2005ના 20 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધતા સ્થાનિકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકારની દરેક યોજનાઓ અને સેવાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકને મળે તે માટેનું આયોજન પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.