રાજ્યપાલ બાયસેગના માધ્યમથી રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તારીખ 12મી જૂન ને ગુરુવારે સવારે 11:00 વાગ્યે ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે બાયસેગ - ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જિયોઈ ઇન્ફોર્મેટીક્સના માધ્યમથી સંવાદ કરશે.
રાજ્યની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપશે.