રૂપાણીએ પોતાનું જીવન ભાજપ અને ગુજરાતને સમર્પિત કર્યું: ઋષિકેશ પટેલ
Live TV
-
અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. શનિવારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આપણે એક એવા નેતા અને સામાજિક કાર્યકર ગુમાવ્યા છે જેમણે ભાજપ અને ગુજરાતને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કર્યો અને હંમેશા ધીરજથી પડકારોનો સામનો કર્યો. ભગવાન આ મુશ્કેલ સમયમાં દરેકને શક્તિ આપે.
રાજકોટમાં 550થી વધુ ખાનગી શાળાઓ શનિવારે બંધ રહેશે. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટની એક ખાનગી શાળાના આચાર્ય રૂપલ દવેએ જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવારે 550થી વધુ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે શનિવારે અડધા દિવસના વેપાર અને રોજગાર બંધનું એલાન આપ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સે તમામ વેપારીઓને આ બંધમાં ભાગ લેવા અપીલ કરી છે. વેપારીઓ સ્વેચ્છાએ આ બંધમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના વિમાનમાં 242 લોકો (169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન મુસાફરો અને 12 ક્રૂ સભ્યો) સવાર હતા. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોનું મોત થયું હતું, જ્યારે એક બ્રિટિશ નાગરિક ઘાયલ થયો હતો.
રાજકીય વર્ગના લોકો રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો અને વિજયભાઈ સાથેના તેમના લાંબા સમયના સંબંધો અને તેમના યોગદાનને યાદ કર્યું.