શાહપુરમાં દિવાલ ધસી પડતા ગૃહ રાજ્યમંત્રીએ સંવેદનશીલતા દર્શાવી બાળકોને સાંત્વના આપી
Live TV
-
અમદાવાદ રથયાત્રાઃ શાહપુરમાં દિવાલ ધસી પડી, કોઈ જાનહાની નહિ, ગૃહ રાજ્યમંત્રીએ સંવેદનશીલતા દર્શાવી બાળકોને સાંત્વના આપી
અમદાવાદમાં આજે 145 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કોઈ અનિચ્છિનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામા આવી હતી. પરંતુ શાપુર વિસ્તારમાં દિવાલ ધસી પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટના દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સામે ઘટી હતી, ત્યારે હર્ષ સંઘવી દ્વારા સંવેદનશીલતા દાખવી બાળકોને સાંત્વના આપી હતી. જો કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા તાત્કાલીક સમયસૂચકતા વાપરી તંત્રને સાથે રાખી કોઈ મોટી ઘટના ન ઘટે તે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.
