ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ભારત અને પાકિસ્તાનની કરી પ્રશંસા, કહ્યું- આપણે સાથે મળીને કાશ્મીર મુદ્દો ઉકેલીશું
Live TV
-
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, "હું ભારત અને પાકિસ્તાનના મજબૂત અને સમજદાર નેતૃત્વની ખૂબ પ્રશંસા કરું છું, જેમણે પોતાની બુદ્ધિ અને ધીરજથી સમયસર સમજી લીધું કે વધુ લડાઈ બંધ કરવી જરૂરી છે. કારણ કે યુદ્ધના વિનાશક પરિણામો આવી શક્યા હોત. લાખો સારા અને નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તમારા આ હિંમતવાન નિર્ણયને કારણે તમારું નામ અને સન્માન વધ્યું છે."
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ 10 મેના રોજ બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ આ યુદ્ધવિરામમાં મધ્યસ્થી ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે તેમના 'ટ્રુથ સોશિયલ' પર યુદ્ધવિરામ માટે બંને દેશોના નેતૃત્વની શાણપણ અને દૂરંદેશીની પ્રશંસા કરી.
તેમણે પોસ્ટમાં લખ્યું, "હું ભારત અને પાકિસ્તાનના મજબૂત અને સમજદાર નેતૃત્વની ખૂબ પ્રશંસા કરું છું, જેમણે પોતાની બુદ્ધિ અને ધીરજથી સમયસર સમજી લીધું કે વધુ લડાઈ બંધ કરવી જરૂરી છે. કારણ કે યુદ્ધના વિનાશક પરિણામો આવી શક્યા હોત. લાખો સારા અને નિર્દોષ લોકો માર્યા ગયા હોત. તમારા આ હિંમતવાન નિર્ણયને કારણે તમારું નામ અને સન્માન વધ્યું છે."
ટ્રમ્પે આગળ લખ્યું, "મને ગર્વ છે કે અમેરિકા આ ઐતિહાસિક અને બહાદુરીભર્યા નિર્ણયમાં મદદ કરી શક્યું. ભલે તેની ચર્ચા થઈ નથી, પણ હવે હું ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપારમાં ઘણો વધારો કરવાનો ઇરાદો રાખું છું. ઉપરાંત હું બંને દેશો સાથે કાશ્મીર મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશ. ભલે તેમાં ઘણો સમય લાગે. આ સારા કાર્ય માટે ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને હૃદયપૂર્વક અભિનંદન."
10 મેના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું ,ભારત અને પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ પર તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં લખ્યું, "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી વાટાઘાટો પછી મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે."
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ X પર જણાવ્યું હતું કે તેઓ અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ છેલ્લા 48 કલાકથી ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ વાટાઘાટોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ અસીમ મુનીર અને પાક એનએસએસ અસીમ મલિક હાજર રહ્યા હતા.