વિદેશમંત્રી એસ. જયશંકર કુવૈતના પ્રવાસે, વેપારિક સહયોગ પર કરી ચર્ચા
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકર કુવૈતના પ્રવાસે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે કુવૈતના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી હતી. ઉચ્ચ-સ્તરની બેઠક યોજી કુવૈતમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. આજે સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર અને બહેરિનમાં ભારતીય રાજદૂતો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બંને નેતાઓએ આરોગ્ય, ખાદ્ય, શિક્ષણ, ઊર્જા, ડિજીટલ અને વેપારિક સહયોગ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત બંને પક્ષોએ સંયુક્ત આયોગના બેઠકની પ્રગતિની સમીક્ષા કરવા સહમતિ દર્શાવી હતી અને બંને પક્ષોએ સહમતિ પત્ર ઉપર હસ્તાક્ષર કર્યાં હતા. જેમાં કુવૈતમાં ભારતીય કામદારોને વધુ સુરક્ષા આપવાની વાત પણ કરવામાં આવી હતી.
