Skip to main content
Settings Settings for Dark

FATFએ પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી, કહ્યું: ભંડોળ વિના શક્ય નથી

Live TV

X
  • ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

    વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. FATFએ કહ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો ન હોય ત્યાં સુધી આવા હુમલા શક્ય નથી.

    આતંકવાદ વિશે FATFએ શું કહ્યું ?

    FATFએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આતંકવાદ સમગ્ર વિશ્વમાં લોકોને મારી રહ્યો છે, ભય ફેલાવી રહ્યો છે અને તેને નાણાકીય રીતે ટેકો આપતા નેટવર્કને તોડવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સંગઠને કહ્યું કે, તેના વૈશ્વિક નેટવર્કમાં 200થી વધુ દેશો છે અને તે આ દેશોને તેમની આતંકવાદ વિરોધી નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યું છે.

    FATFએ વધુમાં કહ્યું કે, તે 10 વર્ષથી આ દિશામાં કામ કરી રહ્યું છે અને હવે સોશિયલ મીડિયા, ક્રાઉડફંડિંગ અને વર્ચ્યુઅલ કરન્સી જેવી નવી પદ્ધતિઓ દ્વારા આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાના ખતરા વિશે પણ સમજી રહ્યું છે. આ માટે, તે ટૂંક સમયમાં એક વિગતવાર રિપોર્ટ બહાર પાડશે. જેમાં વૈશ્વિક નેટવર્કમાંથી એકત્રિત કરાયેલા કેસોનું વિશ્લેષણ હશે. આ સાથે એક વેબિનારનું પણ આયોજન કરવામાં આવશે, જે સરકાર અને ખાનગી ક્ષેત્રને આ ખતરાઓને ઓળખવામાં મદદ કરશે.

    FATFએ એમ પણ કહ્યું કે, તે સભ્ય દેશોના આતંકવાદ વિરોધી નાણાકીય પગલાંનું મૂલ્યાંકન કરે છે અને એવા ક્ષેત્રોને ઓળખે છે જ્યાં સુધારાની જરૂર છે. આ મૂલ્યાંકન વિશ્વના 200થી વધુ દેશોમાં કરવામાં આવી રહ્યું છે.

    FATFના પ્રમુખ એલિસા ડી એન્ડા માદ્રાઝો (મેક્સિકો)એ તાજેતરમાં મ્યુનિકમાં 'નો મની ફોર ટેરર' ​​કોન્ફરન્સમાં કહ્યું કે,  "કોઈ એક દેશ, એજન્સી કે કંપની આ ખતરાનો એકલા સામનો કરી શકે નહીં. આપણે આતંકવાદ સામે એક થવું જોઈએ. જો આતંકવાદીઓ એક વાર પણ સફળ થાય છે, તો નુકસાન ખૂબ મોટું થાય છે, જ્યારે આપણે તેમને દર વખતે અટકાવવા પડશે."

    પાકિસ્તાનને ફરીથી 'ગ્રે લિસ્ટ'માં મૂકવાની માંગ કરી

    આ આતંકવાદી હુમલા પછી ભારતે વિશ્વભરમાં વૈશ્વિક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાન પર આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડવાનો આરોપ લગાવ્યો હતો અને FATF પાસે પાકિસ્તાનને ફરીથી 'ગ્રે લિસ્ટ'માં મૂકવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનને 2018માં FATF ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું અને 2022માં તેમાંથી દૂર કરવામાં આવ્યું હતું. જો પાકિસ્તાન ફરીથી ગ્રે લિસ્ટમાં જાય છે, તો તેની આંતરરાષ્ટ્રીય લોન મેળવવાની ક્ષમતા પર અસર પડશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply