કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પાયાવિહોણા નિવેદનો આપવાનો આરોપ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચૂંટણી હાર્યા બાદ પાયાવિહોણા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો.
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચૂંટણી હાર્યા બાદ પાયાવિહોણા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જે.પી. નડ્ડાએ એક દૈનિક અખબારમાં રાહુલ ગાંધી દ્વારા લખાયેલા એક લેખનો ઉલ્લેખ કર્યો છે અને મહારાષ્ટ્ર ચૂંટણી વિશે જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દાવો કર્યો છે કે ચૂંટણી હાર પછી આત્મનિરીક્ષણ કરવાને બદલે રાહુલ ગાંધી વિચિત્ર ષડયંત્ર ઘડે છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કોઈ પુરાવા વિના સંસ્થાઓની છબી ખરડવાનો આરોપ લગાવ્યો છે.
પોતાના લેખમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વ્યાપક ગોટાળા થયા હતા.