Skip to main content
Settings Settings for Dark

પહલગામ હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કડક સંદેશ

Live TV

X
  • પહલગામ હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશ આપી આતંકવાદને જડમૂળથી કાઢી ફેંકવાની પ્રતિબદ્ધતા દર્શાવી.

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે બોડો સમુદાયના સામાજીક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહમંત્રીએ બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગૃહમંત્રીએ સંબોધનમાં જણાવ્યું, કે આજ નો દિવસ બોડો સમુદાય માટે યાદગાર બની રહેશે. તેમણે પહલગામ હુમલા વિષે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વ હોય, ડાબેરીઓનો ઉગ્રવાદ હોય ,કે પછી કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા હોય દરેકનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું  કે, દેશના દરેક ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અમારો સંકલ્પ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply