પેરાગ્વેના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત, પ્રધાનમંત્રી મોદીને મળ્યા
Live TV
-
પેરાગ્વેના રાષ્ટ્રપતિ આજથી ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પેલાસિઓસે આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંને દેશો ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, સંરક્ષણ, રેલ્વે અને અવકાશ સહિત અનેક ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમજ ભારત અને પેરાગ્વે આતંકવાદ સામેની લડાઈમાં સાથે છે.
બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું,
"મને વિશ્વાસ છે કે તમારી મુલાકાત પરસ્પર સંબંધોમાં વિશ્વાસ, વેપાર અને સહયોગને નવી શક્તિ પ્રદાન કરશે. આનાથી ભારત-લેટિન અમેરિકાના સંબંધોમાં નવા પરિમાણો પણ ઉમેરાશે. ગયા વર્ષે મેં ગુયાનામાં CARICOM સમિટમાં હાજરી આપી હતી, જ્યાં અમે વિવિધ મુદ્દાઓ પર સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. આપણે આ બધા ક્ષેત્રોમાં પેરાગ્વે અને બધા લેટિન અમેરિકન દેશો સાથે મળીને કામ કરી શકીએ છીએ."આ પહેલા રાષ્ટ્રપતિ પેનાએ વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ પછી તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા.