પ્રધાનમંત્રીએ ડો.શ્યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને આજે તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે નમન કરું છું. તેમના ઉમદા આદર્શો આપણા દેશભરના લાખો લોકોને પ્રેરિત કરે છે. ડૉ. મુખરજીએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ તરફ સમર્પિત કર્યું. તેમણે પોતાને એક ઉલ્લેખનીય વિદ્વાન અને બૌદ્ધિક રૂપે પણ પ્રતિષ્ઠિત કર્યા."
