પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં આપશે હાજરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે.
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું.સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ,કાર્નીને તેમની તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા હતા.અને સમિટમાં આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું હતું કે, ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે ,નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે.ઓટ્ટાવામાં પત્રકારો સાથે વાતચીતમાં કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું કે, G-7 સમિટ ખાસ કરીને ઉભરતા અને વિકાસશીલ દેશો વચ્ચે ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.ઉલ્લેખનીય છે કે, G-7 સમિટ 15 થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાશે.