લોકતંત્રના પાયાને મજબૂત કરવા તમામે એકજુટ થઇને કરવું પડશે કામઃ પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી, લોકતંત્રના પાયાને મજબૂત કરવા તમામે એકજુટ થઇને કરવું પડશે કામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા હાજર રહ્યાં હતાં. બેઠકમાં જમ્મુ કાશ્મીરના 14 નેતાઓએ પણ હાજરી આપી હતી. પ્રદેશના વિકાસ અને રોજગારને લઇને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. બેઠકામાં જનભાગીદારીને વધારવા ઉપર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો. તેમણે કહ્યું, પ્રદેશમાં પંચાયત ચૂંટણી પછી 12 હજાર કરોડ રૂપિયા સીધા ગ્રામપંચાયતમાં પહોંચ્યા. જેથી ત્યાં વિકાસ વધી રહ્યો છે. હવે જમ્મુ કાશ્મીર આંતકમાંથી બહાર આવી રહ્યું છે અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ઉપર આ બેઠક સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી.
