ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂ. 7.49 કરોડનું કૌભાંડ ઝડપાયું
ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂ. 7.49 કરોડનું કૌભાંડ આચરાયા હોવાનું બહાર આવ્યું છે. મટિરિયલ્સ મુજબ અને માનવશ્રમના ઉપયોગ વિના યાંત્રિક, ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે.
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને ત્રણ તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો.