જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું દેહાવસાન
Live TV
-
20 જૂનના રોજ બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં
બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનનું દેહાવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાતે મુંબઈ ખાતે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું છે.
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે શ્વાસ લેવામાં તકલીફ થયાં બાદ 20 જૂનના રોજ બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બેર 1948ના રોજ થયો હતો. તેઓ 71 વર્ષના હતાં.
અસલ નામ નિર્મલા નાગપાલ
તેમનું અસલ નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાન પહેલા આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર હતાં. પરંતુ 1974માં આવેલી ફિલ્મ ગીતા મેરા નામથી તેઓ કોરિયોગ્રાફર બની ગયા હતાં.
