ભિલાડ ખાતે ચેકપોસ્ટ અપગ્રેડ ઈન્ટીગ્રેટર પ્રોજેક્ટનું CM રૂપાણીએ કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે 13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ ઈન્ટીગ્રેટર પ્રોજેકટનું કર્યું લોકાર્પણ-તો, વન અધિકાર અધિનિયમ હેઠળ 1 હજાર 589 લાભાર્થીઓને જમીનના હકપત્રો કર્યા એનાયત- આઠ સ્વસાય જૂથોને 35 લાખના ચેક વિતરણ કરતાં મુખ્યમંત્રી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજ રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન નવસારી જિલ્લાના અંતરિયાળ વાંસદા તાલુકાના રૂપવેલગામ ખાતે ઉપસ્થિત રહી નવસારી અને ડાંગ જિલ્લાના આદિવાસી લાભાર્થીઓને જંગલની જમીનના માલિકો બને તે માટે ૩,૦૦૦ વનબંધુઓને જમીનના હકપત્રક આપ્યા હતા.
સાથે માપણી સીટ તેમજ રાજ્યની ૨૦૬ આદિવાસી મંડળીઓને ૬ કરોડના ચેકો આપવામાં આવ્યા હતા. વિવેકાનંદ આદિવાસી મંડળી ને વિવિધ રમતની કીટ પણ આપવામાં આવી હતી સાથે વંબન્ધુ યોજના હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ૮૦ હજાર કરોડ રૂપિયા આદિવાસી પટ્ટામાં અર્પણ કર્યા છે.
આ પ્રસન્ગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આદિવાસી બંધુઓના વિકાસ અને સહાય કર્યો માટે સરકાર હંમેશા તૈયાર અને કાર્યશીલ છે.સાથેજ વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે રૂપિયા 13.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચેકપોસ્ટ અપગ્રેડ, ઇન્ટિગ્રેટર પ્રોજેક્ટનું પણ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
