આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા, શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા
Live TV
-
રાજ્યમાં 7 માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે શિક્ષણ મંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તકેદારી તેમજ કોઈ પણ ગેરરીતિ વગર શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચથી શરૂ થઈ રહી છે રાજ્યના 18.50 લાખ વિધાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે અને રાજ્ય ના કુલ 1607 પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા લેવાશે.
તમામ કેન્દ્ર CCTV સાથે સજ્જ કરાયા છે. તેમજ બાયસેફના માદયમથી જે પણ સરકારી સ્ટાફ રોકાયો છે તેને 2 વખત ટ્રેનિંગ આપાઈ છે જેથી કરી સુવ્યસ્થિત રીતે પરીક્ષામાં કામ કરી શકે. રાજ્યના જિલ્લા કલેકટરને પણ આદેશ પ્રમાણે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 600 જેટલા પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ જાહેર થયા છે.
