રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય ભગવાન બારડને ગૃહમાંથી કર્યાં બરતરફ
Live TV
-
ખનીજ ચોરી મામલે સજા બાદ કોંગ્રેસ ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદેથી એક માર્ચ 2019 થી સસ્પેન્ડ- કલમ 379 હેઠળ સૂત્રાપાડ કોર્ટે 2 વર્ષ 9 માસની સંભળાવી છે સજા- લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 8 મુજબ 2 વર્ષથી વધુની સજા થતાં ધારાસભ્ય ગેરલાયક ઠરી શકે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને ખનિજ ચોરીના કેસમાં જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટે બે વર્ષથી વધુની સજા કરતાં નિયમ મુજબ તેમને ગૃહમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ચુકાદો 1 માર્ચે આવતા વિધાનસભા દ્વારા ભગવાન બારડને 1 માર્ચ 2019 થી બરતરફ કરવામાં આવ્યા છે.
