અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળો
Live TV
-
અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે પદયાત્રાએ નીકળ્યા હોય તે ભક્તો અંબાજી નજીક પહોંચી ગયા છે.તેમજ અંબાજીમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આજે મોડી સાંજ સુધી આસપાસના તમામ માર્ગો ખાલી બની જાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે અંબાજી પહોંચી ગયેલા પદયાત્રીઓ અંબાજીના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે અંબાજીના માર્ગો પર શરૂ થયેલા સેવા કેમ્પો પણ હવે યાત્રિકોને ધસારો ઓછો થતા સેવા કેમ્પો આટોપી લેવાઈ રહ્યા છે. એટલું જ નહીં જેમણે કેમ્પ શરૂ કર્યા હતા તેઓ પણ અંબાજીની વાટ પકડી છે અને આવતીકાલે ભાદરવા સુદ પૂર્ણિમાના રોજ માના દર્શન કરી પોતાનું જીવન ધન્ય કરશે
